Friday, October 18, 2024
HomeGujaratમોરબીની સગીરાનું અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીની સગીરાનું અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં વધુ એક સગીરાનું અપહરણ થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેમાં સગીરાનાં પિતાએ ગત તા.૨૪/૪ ના રોજ સગીરાને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના બાયપાસ પાસે રેહતી ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. જેમાં સગીરાના પિતાએ તેમની દીકરીનું ગત તા.૨૪/૪ ના રોજ અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભોગબનનાર સગીરાના પરિવારે આજ દિન સુધી ઘરમેળે તપાસ કરતા પણ સગીરાનો પતો લાગ્યો ન હતો. જેથી સગીરાના પિતાએ અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આઇપીસી ૩૬૩ મુજબ અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!