પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યુ છે ત્યારે તેઓના લાગણીશીલ સ્વભાવ થી ઠેર ઠેર લોકો શોક મગ્ન થઈ રહ્યા છે જેને લઈને મોરબીમાં પણ સ્વ.વિજયભાઈ રૂપાણી ની યાદમાં પ્રાર્થનાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં લોહાણા મહાજન વાડી ખાતે આયોજિત આ ર્પાર્થના સભામાં મોરબી જિલ્લાના ધારાસભ્યો, નેતાઓ,આગેવાનો અને સામાજિક આગેવાનો, ધારાશાસ્ત્રી સહિતના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ લોકોએ સાથે મળી તેઓને શ્રધાંજલિ અર્પણ કરી હતી.