Sunday, June 29, 2025
HomeGujaratહળવદના ખોડ ગામે ખેત શ્રમિક સગર્ભાનું બીમારી સબબ મૃત્યુ.

હળવદના ખોડ ગામે ખેત શ્રમિક સગર્ભાનું બીમારી સબબ મૃત્યુ.

ફોરેન્સિક પીએમમાં બીમારીને લીધે શરીરમાં ચેપ ફેલાતા મૃત્યુ અંગે સ્પષ્ટતા.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ખોડ ગામમાં વાડીએ રહેતા ૨૧ વર્ષીય સગર્ભાને બીમારી સબબ શરીરમાં ચેપ લાગતા તેણીનું મૃત્યુ નિપજતા, ખેત શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઈ ગયી હતી, ત્યારે સમગ્ર મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના ખોડ ગામ ખાતે અમરાભાઇ અરજનભાઇ ખટાણની વાડીએ રહેતા મૂળ રહે-બૈડીયા ગામ તા-કવાંટ જી. છોટાઉદેપુરના વતની વિપુલભાઇ ઝંગુભાઇ રાઠવા ઉવ.૨૬ તેમનાં પત્ની મીતલબેન ઉવ.૨૧નું બિમાર સબબ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે મરણજનારને છ મહીનાની પ્રેગ્નન્સી હોય જેથી અત્રે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ડેડબોડી આવતા હાજર ડોક્ટરે ફોરેન્સીક પી.એમ માટે મોરબી સરકારી હોસ્પિટલમાં રીફર કરતા મરણજનારનુ ફોરેન્સીક પી.એમ કરવામાં આવ્યું હતું, જે પીએમના અહેવાલ મુજબ મરણનુ પ્રથમ કારણ બિમારી સબબ શરીરમાં ચેપ લાગતા મૃત્યુ નીપજ્યું હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું, ત્યારે હળવદ પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની એન્ટ્રી કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!