વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા પૌરાણિક પત્રકાર દેવર્ષિ નારદજીની જન્મ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ રાવલના પ્રેરણાત્મક ઉદ્દબોધન સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોરબી જીલ્લાના અગ્રણીઓ ઉપરાંત વિવિધ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ પત્રકારોને નારદજીની તસ્વીર ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
સૃષ્ટિના આધ્ય પત્રકાર દેવર્ષિ નારદજીની જન્મ જયંતિના પાવન અવસરે ૧ જૂન, ૨૦૨૫ના રોજ વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જીલ્લાની આગેવાની હેઠળ પત્રકાર મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના વક્તા વિજયભાઈ રાવલ દ્વારા મહર્ષિ નારદના જીવનની તેમજ અત્યારના આપણા જીવનમાં અનુસરવા જેવી વાતોની છણાવટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના પત્રકારોમાં પત્રકાર એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, શ્રીકાંતભાઇ પટેલ, વિષ્ણુભાઈ વિડજા, રવિભાઈ બરાસરા, જયેશભાઇ બોખાણી, વાંકાનેરના ગૌરવભાઈ જાની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજુભાઈ બદ્રકીયા તેમજ પ્રચાર વિભાગના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ સમારોહમાં દરેક ઉપસ્થિત મિત્રોને નારદજીની તસવીર ઉપહાર સ્વરૂપે આપવામાં આવી હતી.