Saturday, June 7, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં બકરી ઈદના તહેવારને અનુસંધાને પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પડાયું.

મોરબી જીલ્લામાં બકરી ઈદના તહેવારને અનુસંધાને પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પડાયું.

મોરબી જીલ્લામાં બકરી ઈદના તહેવારને અનુસંધાને જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી અધિક જીલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ જાહેરનામા અનુસાર કોઈપણ ઈસમે આગામી તા.૦૯ જૂન ૨૦૨૫ સુધી અધિકૃત કતલખાનાની બહાર કે કોઈ જાહેર ખાનગી સ્થળોએ જ્યાં બહારથી જોઈ શકાય તેવી રીતે કોઈપણ પશુઓની કતલ કરવી નહીં. સમગ્ર મોરબી જીલ્લા વિસ્તારની હદમાં કોઈ શેરીમાં જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય પશુની કતલ કરવી નહીં. બકરી ઈદના તહેવાર પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં. આ જાહેરનામું આગામી ૦૯ જૂન ૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા અનુસાર શિક્ષાને પાત્ર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!