Friday, September 20, 2024
HomeGujaratમાતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) ખાતે સેવા કેમ્પ યોજવામાં...

માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) ખાતે સેવા કેમ્પ યોજવામાં આવશે

માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ છેલ્લા 25 વર્ષથી અવિરત યોજવામાં આવે છે. ત્યારે આ વખતે મોરબીના આગેવાનો અને સોનગઢના યુવાનો દ્વારા ઉમંગ સાથે પદયાત્રીઓની સેવા કરવામાં આવશે. જે કેમ્પ તા. 25 થી 30 તારીખ સુધી દિવસ રાત 24 કલાક સેવા કરવામાં આવશે જેનો લાભ લેવા પદયાત્રીઓને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

સતત છેલ્લા પચીસ વર્ષથી પદયાત્રીઓની સેવામાં મોરબી પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે સેવા કેમ્પ યોજવામાં આવે છે. જે સેવા કેમ્પમાં મોરબીના ધીરૂભાઈ ચાવડા(આહીર) SBI બેંક, કે સી જાડેજા PGVCL, વિષ્વરાજસિંહ જાડેજા (મોંટુભાઈ), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ જ્યોતિ મંડપ, મહેશભાઈ ભારવાણી જલારામ ફેમિલી મોલ મોરબી, સોનગઢ ગામના આહીર યુવાનો તેમજ પરા બજાર મિત્ર મંડળ મોરબી સહીતના ઉત્સાહી સેવાભાવી યુવાનો ખૂબ જ ઉમંગ સાથે સેવા આપવામાં આવે છે. જે સેવા કેમ્પ તા. 25-9-2024 બુધવાર થી તા. 30-9-2024 સોમવાર સુધી દિવસ રાત અવિરત ચાલુ રાખવામાં આવશે. જે સેવા કેમ્પમાં વિનામૂલ્યે જમવાનું, ચા – પાણી, નાસ્તો, રાત્રી રોકાણ તેમજ ન્હાવા અને મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. જે સેવા કેમ્પનો લાભ લેવા પદયાત્રીઓને આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!