Sunday, September 8, 2024
HomeGujarat"વીર શહીદો અમર રહો" ના નાદ સાથે હળવદ યુવા ભાજપ દ્વારા કારગિલ...

“વીર શહીદો અમર રહો” ના નાદ સાથે હળવદ યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસ ની પૂર્વ સંધ્યા એ મશાલ રેલી નીકળી

કારગિલ વિજય દિવસ ની ૨૫ મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યા એ હળવદ યુવા ભાજપ દ્વારા વીર શહીદો ને વિરાંજલી અર્પવા માટે મશાલ રેલી નું આયોજન કરવા માં આવ્યું હતું આ મશાલ રેલી શ્રી લક્ષ્મીનારાયણ ચોક થી પ્રારંભ થઈને હળવદ ની મુખ્ય બજાર માં થઈ સરા નાકા ખાતે સમાપન થઈ હતી હળવદ ની મુખ્ય બજાર “વીર શહીદો અમર રહો” , “ભારત માતા કી જય , વંદે માતરમ્ ” ના નાદ થી ગુંજી ઉઠી હતી.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમમાં પૂજ્ય દીપકદાસજી મહારાજ , જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , મંડળ ના મહામંત્રી એન. ડી રાણા, રમેશભાઈ ભગત , ડૉ અનિલભાઈ પટેલ , જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે , ભાવેશભાઈ ઠક્કર , ઘનશ્યામભાઈ દવે , ગીરીશભાઈ પરમાર , જતીનભાઈ રાવલ , રવિભાઈ પટેલ સહિત બહોળી સંખ્યા માં રાષ્ટ્રભક્ત યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપ રબારી ,તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશ લોરિયા , કુલદીપસિંહ રાઠોડ , શિવમ દવે , મહેશ તરબુંદિયા , રાજુ સુરેલા , રસિક ચાવડા , તીર્થ ઠક્કર , સહિત યુવા કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!