ટંકારા તાલુકાના નસીતપર રાજપર રોડ નીલકંઠ ઇન્ટીરીયસ કંપનીના લેબર કવાટરમાં રહેતા મુળ ખામ્ભોદર ગામ તા.જી.પોરબંદરના વતની હિરેનભાઇ ભરતભાઇ રાઠોડ ઉવ.૧૯ નામના યુવકે ગઈકાલ તા.૧૩/૦૬ ના રોજ કંપનીના લેબર કવાટરમાં કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે ગળેફાંસો ખાઈ લેતા, હિરેનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતા, પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે