મોરબી તાલુકાના રાજપર ગામે શ્યામ પોલીપેક કારખાનામાં ત્રીજા માળે સુતેલ ૩૮ વર્ષીય શ્રમિક કોઈ કારણસર નીચે પડતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના રાજપર ગામે થોરાળા પાટીયા રોડ પર આવેલ શ્યામ પોલીપેક કારખાનામાં ગત તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ કોઈપણ સમયે એક દુર્ઘટના સર્જાય હતી. જેમાં કપીલ દાઇમા ઉવ.૩૮ નામનો શ્રમિક શ્યામ પોલીપેકમાં કામ કરતા હતા. ગઈકાલ તા.૦૪/૦૩ના રોજ કપિલ દાઈમા ત્રીજા માળે પાણીની ટાંકી ઉપર સુતા હતા. તે દરમિયાન તેઓ નીચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સરકારી હોસ્પિટલના તબીબે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારે મૃત્યુના બનાવ મામલે તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.









