Friday, September 20, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું

મોરબી જીલ્લા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરાયું

મોરબી જીલ્લા ભાજપ દ્વારા ગઈકાલે ગુરુવારના રોજ સદસ્યતા અભિયાન -૨૦૨૪ને અનુલક્ષીને હરભોલે હોલ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશમાંથી કમલેશભાઈ મીરાણી અને માનસિંહ પરમાર ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાનના કાર્યશાળામાં સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્ર સિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી સહિતનાઓ પણ હાજર રહ્યા હતા. આ સિવાય મોરબી જીલ્લા, શહેર, તાલુકાના તમામ મંડલ/મોરચાના પ્રમુખ,મહામંત્રી જેવા તમામ હોદેદારો, શકિત કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારીઓ હાજર રહ્યા હતા તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!