મોરબીમાં વધુ એક આપઘાતના બનાવમાં વાંકાનેર તાલુકાના નવી રાતીદેવળી ગામે રહેતા રાહુલભાઈ અશોકભાઈ વિકાણી નામના ૧૮ વર્ષીય યુવકે ગઈ તા.૧૩/૦૬ ના રોજ રાત્રીના ૯.૩૦ પહેલા કોઈપણ સમયે મોરબી લગ્ધીરપુર રોડ મોનલ કારખાના તરફ જતા કાચા રસ્તાની બાજુમાં આવેલ બાવળની કાંટમાં સુરબાવળ ઝાડની ડાળ સાથે દોરી બાંધી પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લેતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે બનાવ અંગે પોલીસને જાણ કરતા, તાલુકા પોલીસે મૃતક યુવકના પિતા અશોકભાઈ પુનાભાઈ વિકાણી પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે