માળીયા(મી)તાલુકાના જશાપર ગામના વિપુલભાઇ વિનોદભાઇ ડાંગર ઉવ.૩૫ નામના યુવકે માળીયા(મી) તાલુકાના મોટી બરાર ગામની સીમમાં કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની રીતે ઝેરી દવા પી લઈને આપઘાત કરી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, મૃતકની ડેડબોડી માળીયા(મી) સીએચસી ખાતે લાવતા, ડોક્ટરે જોઈ તપાસી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, ઘટનાની જાણ પોલીસને કરતા, પોલીસે સ્થળ ઉપર પહોંચી અ.મોત અંગે એન્ટ્રી કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.