Tuesday, March 18, 2025
HomeGujaratહળવદના ઇસનપુરમાં વાડીએ થ્રેસર ઉપર કામ કરતા સમયે ઉપર જતી વીજ-લાઇનને અડકી...

હળવદના ઇસનપુરમાં વાડીએ થ્રેસર ઉપર કામ કરતા સમયે ઉપર જતી વીજ-લાઇનને અડકી જતા યુવકનું મૃત્યુ.

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા ગઈકાલ તા.૧૬/૦૩ ના રોજ હળવદ તાલુકાના ઇસનપુર ગામે ધીરજભાઈ પોપટભાઈ પરમારની વાડીએ થ્રેસર ઉપર કામ કરતા હતા, ત્યારે ઉપર પસાર થઈ રહેલા વીજ લાઇનને અડકી જતા પ્રકાશભાઈને જોરદાર વીજ-કરંટ લાગતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી મૃતક પ્રકાશભાઈનો મૃતદેહ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે અકાળે મૃત્યુને ભેટેલા પ્રકાશભાઈના મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી, પોલીસે આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!