વાંકાનેર તાલુકાના લાલપર ગામમાં ૩૪ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા, આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હદમાં આવેલા લાલપર ગામે રહેતા સદામભાઈ અલ્લારખાભાઈ દલવાણી ઉવ.૩૪એ ગઈકાલ તા.૦૯/૦૧/૨૦૨૬ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વાંકાનેર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ફરજ ઉપર હાજર તબીબે પોલીસને જાણ કરતા વાજનેર સીટી પોલીસે અ. મોત દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.









