ટંકારાના રોહીશાળા નજીક ધોધમ નદીના વોકળાના પાણીમાં તણાઈ રહેલા મોટરસાયકલને કાઢવા જતાં દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં ૨૫ વર્ષીય યુવક પણ પાણીમાં તણાઈને ડૂબી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ટંકારાના રોહીશાળા ગામે વાડીમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના બીલવાટના વતની જાલમસીંગ સુરસીંગ બામણીયા ઉવ.૨૫એ ગઈ તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ સાંજે રોહીશાળા નજીક દહીસરડા તરફ જતાં કાચા રસ્તે આવેલ ધોધમ નદીના વોકળાની બાજુમાં પોતાનું મોટરસાયકલ રાખ્યું હતું. ત્યારે અચાનક વરસાદના કારણે વોકળામાં પાણીનો વહેણ વધી જતાં મોટરસાયકલ વોકળાના પાણીમાં ડૂબી ગયું હતું, તે મોટરસાયકલ કાઢવા જતાં પોતે જ પાણીમાં તણાઈ ગયો હતો ત્યારે તાત્કાલિક સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમની મદદથી તેમને બહાર કાઢી બેભાન હાલતમાં ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી જાલમસીંગને મૃત જાહેર કર્યા હતા.ત્યારે મૃત્યુના બનાવ અંગે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.