ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતી ૩૦ વર્ષીય અનિશાબેન ઉઠમણાનું મોરબી સારવાર દરમિયાન હાર્ટએટેક આવતા મૃત્યુ થયું છે.
ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા અનિશાબેન રહિમભાઇ યાકુબભાઇ ઉઠમણા ઉવ. ૩૦ વાળા ગત તા. ૦૯/૦૬ના રોજ પોતાના ઘરે હોઈ તે દરમિયાન શરીરમાં દુખાવો થતો હોય જેથી પરિવારજનો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન અનિશાબેનને હાર્ટએટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાને લઈ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે