Sunday, October 6, 2024
HomeGujaratવાંકાનેરની ભાટીયા સોસાયટીમાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

વાંકાનેર ટાઉનમાં આવેલ ભાટીયા સોસાયટીમાં ૨૪ વર્ષીય યુવકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના બનાવની મળતી માહિતી અનુસાર વાંકાનેરની ભાટીયા સોસાયટી રામ ઘૂઘરાવાળી શેરીમાં રહેતા કૌશલભાઈ બટુકચન્દ્રભાઈ બજાણી ઉવ.૨૪ એ પોતાના રહેણાંક ઘરના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે મૃતક કૌશલભાઈની ડેડબોડી તેમના કુટુંબી રાજેશ ઉર્ફે રાજુ રમેશભાઈ બજાણી હોસ્પિટલ ખાતે લાવી જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે અકાળે મોતને ભેટેલા મૃતક કૌશભાઈના મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!