Saturday, March 22, 2025
HomeGujaratમાળીયા(મીં)નાં NDPSનાં ગુન્હામાં સંડોવાયેલ આરોપીનો જામીન પર છુટકારો

માળીયા(મીં)નાં NDPSનાં ગુન્હામાં સંડોવાયેલ આરોપીનો જામીન પર છુટકારો

માળીયા(મીં)માં રહેણાંક મકાનમાં ગાંજોનો જથ્થો રાખી વેચાણ કરતા બે ઈસમોને માળીયા(મીં) પોલીસે પકડી પાડ્યા હતા. જે કેસમાં આજ રોજ ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને જામીન આપ્યા છે. આરોપીઓના વકીલે “આરોપીઓએ આવો કોઈ ગુનો કરેલ નથી” તેવી દલીલો સાથે પુરાવા રજુ કરતા કોર્ટે આરોપીઓને જામીન પર છોડી મુખ્ય છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, સમીર અનવરહુસેન ઉર્ફે આઝાદ સંધવાણીએ પોતાના રહેણાંક મકાનના રૂમમાં રૂ.૩૯,૩૦૦/-ની કિંમતનો ૩ કીલો ૯૩૦ ગ્રામ ગાંજાનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે અન્ય શખ્સ પાસેથી મેળવીને રાખેલ હોય જે અંગેની બાતમીના આધારે પોલીસની રેઈડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. તથા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. અને આરોપીઓને માળીયા(મીં) પોલીસે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ(એનડીપીએસ સ્પે.કોટ)માં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર કરી બાદમાં જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જે કેસમાં આરોપી સમીર અનવરહુસેન ઉર્ફે આઝાદ સંધવાણીએ મોરબીના સીનીયર એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આ જામીન અરજીના કામે બંને પક્ષે કાયદાકીય દલીલ કરી હતી, જેમાં આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ અને નામ. સુપ્રીમ કોર્ટ એ આપેલ જજમેન્ટ ‘સંજય ચાદ્દા વિ. સી.બી.આઈ’ને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!