હળવદ પોલીસ સ્ટેશનના ૭૯ ગ્રામ ૬૮ મી. ગ્રામ એમ. ડી. પાવડર વેપારી જથ્થાના (કોમર્શીયલ કોન્ટેટી) કેસમાં આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતીની અટકાયત કરાઈ હતી.જે આરોપીએ સિનિયર એડવોકેટ મનીષ પી.ઓઝા મારફતે રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરી હતી.જે અરજીને આધારે મોરબી જિલ્લા સ્પેશ્યલ જજ તેમજ સેશન્સ જજ મોરબી એ આરોપીને ૧૫,૦૦૦ ના શરતોને આધારે રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસે ૭૯ ગ્રામ ૬૮ મી. ગ્રામ એમ. ડી. પાવડર વેપારી જથ્થાના (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતી મો૨બી વાળાને હળવદ પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ. ૨જી. નં. ૧૧૧૮૯૦૦૧૨૪૦૭૦૦/૨૦૨૪ જેના એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ સેશન્સ કોર્ટમાં રજુ કરી ત્યાર થી જયુડીશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો હતો.ત્યારબાદ આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતીની જામીન અરજી કરતા આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તેમજ નામદાર સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગૂજરાત હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો કરતા તેને ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબ મોરબીના કે. આર. પંડયા સાહેબે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતી ને રૂા. ૧૫,૦૦૦/- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે.જે કેસમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ રામજીભાઈ પ્રજાપતીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તેમજ મેનાઝ એ. પરમાર રોકાયા હતા