મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના તેમજ એટ્રોસીટીના કેશના આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયા (પટેલ)ને નામદાર એડીશનલ સેસન્સ કોર્ટ (સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટ) દ્વારા જામીન પર છુટકારો આપવાનો હુકમ કર્યો છે. વકીલ દિલીપ અગેચાણીયાએ આરોપીને ખોટી રીતે બનાવમાં ફીટ કરી દેવામાં આવ્યો છે. અને સાક્ષી પુરાવા સાથે કોઈ હેમ્પર કે ટેમ્પર નહી કરે તેવી ધારદાર કાયદાકીય દલીલ કરી હતી. જે બંને પક્ષની દલીલોને અંતે નામદાર કોર્ટ દ્વારા શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી કે આરોપીએ ફરીયાદી અનુસૂચિત જાતીના હોવાનુ જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ અને ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીરસંબંધ બાંધી ફરીયાદી સાથે લગ્ન નહી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ.ની કલમ-૬૪(૧) તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(ડબલ્યુ) (આઈ), ૩(૨) (વી) મુજબનો ગુનો નોંધી આરોપી રાહુલ સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયા(પટેલ)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સતીષભાઈ રૂગનાથભાઈ જેતપરીયા(પટેલ) એ મોરબીના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આરોપીઓ તરફે આરોપી પક્ષના એડવોકેટે દલીલ કરી હતી કે આરોપીને ખોટી રીતે બનાવમાં ફીટ કરી દેવામાં આવ્યો છે. અને સાક્ષી પુરાવા સાથે કોઈ હેમ્પર કે ટેમ્પર નહી કરે અને ધારદાર કાયદાકીય દલીલ કરી હતી. અને ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કર્યાં હતાં. જે બન્ને પક્ષકારોની દલીલના અંતે નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે. જેમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા ,જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, કનૈયાલાલ બાવરવા, ક્રિષ્ના જારીયા અને મહેશ્વરી મકવાણા રોકાયા હતા