મોરબી મહાનગર પાલિકાની રંજાડ અંકુશ શાખા દ્વારા શહેરમાં તા. ૦૩/૦૩ થી ૨૨/૦૩ દરમિયાન શહેરી વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૨૫૪ જેટલા પશુઓ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા છે. તેમજ પકડેલ પશુ પૈકી ૨ પશુ માલિક પાસેથી નિયત વહીવટી ચાર્જ રકમ રૂ. ૧૨,૦૦૦/- દંડ વસુલ કરી પશુઓને છોડવામાં આવ્યા છે….
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા શહેરમાં તા. ૦૩/૦૩/૨૦૨૫ થી ૨૨/૦૩/૨૦૨૫ દરમિયાન શહેરી વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ તેમજ રાત્રી સમય દરમિયાન નવાડેલા રોડ, તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક, સુભાષ રોડ, રેલ્વે સ્ટેશન રોડ, રવાપર રોડ, આસ્વાદપાન, માધાપર, શનાળા રોડ અયોધ્યાપૂરી મેઇન રોડ, અવનિ ચોકડી, બાપા સીતારામ ચોક, ગેંડા સર્કલથી સર્કિટ હાઉસ રોડ, જેલ ચોક જેવા વિવિધ વિસ્તારમાંથી કુલ ૨૫૪ જેટલા પશુઓ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવ્યા છે. તેમજ પકડેલ પશુ પૈકી ૨ પશુ માલિક પાસેથી નિયત વહીવટી ચાર્જ રકમ રૂ. ૧૨,૦૦૦/- દંડ વસુલ કરી પશુઓને છોડવામાં આવ્યા છે. તેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુ માલિકોને પોતાના માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતા ન મુકવા માટે અપીલ કરવામાં આવી છે.