Saturday, June 28, 2025
HomeGujaratમોરબી વાંકાનેર ડેમુ ટ્રેનની આવતીકાલ તા.૨૯ જૂનની તમામ ટ્રિપ રદ કરાઈ

મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનની આવતીકાલ તા.૨૯ જૂનની તમામ ટ્રિપ રદ કરાઈ

રાજકોટ ડિવિઝન પશ્ચિમ રેલવે દ્વારા વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન તા. ૨૯/૦૬/૨૦૨૫ ના રોજ રદ કરવાનો નિર્ણય કર્યો છે. ટેકનિકલ કારણોસર વાંકાનેર અને મોરબી વચ્ચેની ડેમુ ૧૨ ટ્રેન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી રેલવેમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલી ન સર્જાય તે માટે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર અને મોરબી વચ્ચે ડેમુ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જે ડેમુ ટ્રેન ટેકનિકલ કારણોસર તા. ૨૯/૦૬/૨૦૨૫ ના રોજ રદ કરવામાં આવી છે. જેમાં ટ્રેન નંબર મોરબી-વાંકાનેર ૭૯૪૫૨, ૭૯૪૪૨, ૭૯૪૫૪, ૭૯૪૪૪, ૭૯૪૪૬, ૭૯૪૪૮ અને વાંકાનેર-મોરબીની ટ્રેન નંબર ૭૯૪૪૧,૭૯૪૪૩, ૭૯૪૫૩, ૭૯૪૪૫, ૭૯૪૪૭ અને ૭૯૪૫૧ ટ્રેન રદ કરવામાં આવી છે. જે ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરવા માટે તેમજ ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની જાણકારી માટે www.enquiry.indianrail.gov.in પર નિરીક્ષણ કરવા માટે પશ્ચિમ રેલવે રાજકોટ વિભાગ દ્વારા જણાવવામા આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!