Saturday, December 6, 2025
HomeGujaratવાંકાનેરના કાછીયાગાળા ગામે મંદિરમાં થયેલ ચોરી કરનાર એક આરોપીને ઝડપી લેવાયો

વાંકાનેરના કાછીયાગાળા ગામે મંદિરમાં થયેલ ચોરી કરનાર એક આરોપીને ઝડપી લેવાયો

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે બુટભવાની માતાના મંદિરમાં ચાંદીના બે છતર ચોરીના બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે એક આરોપીને ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે આવેલા બુટભવાની માતાના મંદિરમાંથી રૂ. ૪૦,૦૦૦/- ની કિંમતના બે છતર ચોરી થયાની ફરિયાદ બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથક પીઆઇ બી.વી. પટેલના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ લમાં હોય તે દરમિયાન મંદિરના સીસીટીવી ફૂટેજને આધારે અને આ ઉપરાંત, ચોરીની જગ્યાની આજુબાજુના રસ્તા, દુકાનો અને પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારે આ ચોરીમાં બે શખ્સો શંકાસ્પદ જણાયા હતા. જેમાંમાંથી એકની ઓળખ આરોપી જયેશભાઈ બાબુભાઈ મકવાણા રહે. ખારચિયા તા.જી. રાજકોટ વાળા તરીકે થઈ હતી. જેથી વાંકાનેર તાલુકા પોલીસની ટીમે તેને ઝડપીને ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!