Thursday, April 25, 2024
HomeGujaratમોરબી સીવીલ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયેલ વૃદ્ધે હોસ્પિટલમાં આપ્યું રૂ.૧,૧૧,૧૧૧/-નું અનુદાન

મોરબી સીવીલ હોસ્પિટલમાં સારવાર લઈ સ્વસ્થ થયેલ વૃદ્ધે હોસ્પિટલમાં આપ્યું રૂ.૧,૧૧,૧૧૧/-નું અનુદાન

મોરબી સિવિલ હોસ્પિટલનાં કોવિડ આઈસોલેશન વિભાગમાં ખાખરાથળ જી. સુરેન્દ્રનગરનાં વતની ભાવસંગભાઈ ભીખુભાઈ રાજપૂત તા.૧/૫/૨૦૨૧નાં રોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને હોસ્પિટલની સારવારથી તા.૧૧/૫/૨૦૨૧ નાં રોજ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલની તબીબી સારવારથી સંતુષ્ટ થઈ તેઓએ સિવિલ હોસ્પિટલને રૂ. ૧,૧૧,૧૧૧/- નું અનુદાન આપ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ઈન્ચાર્જ અધિક્ષક ડો. સરડવા દ્વારા પ્રશસ્તિપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સમગ્ર હોસ્પિટલ તંત્ર તથા સ્ટાફ તેમનો આભાર વ્યક્ત કરે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!