વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ તળાવમાં એક અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના પુરૂષનું પાણીમાં ડૂબી જતાં કરૂણ મૃત્યુ થયું છે. ઘટનાની જાણ પોલીસને થતાં વધુ તપાસ હાથ ધરાઈ છે.
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સ્ટોન ગ્રેનાઇટો સિરામિક નજીકના તળાવમાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ પાણીમાં મળતા ચકચાર મચી ગઈ હતી. આશરે ૩૫ થી ૪૦ વર્ષની વયના આ પુરૂષની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પ્રાથમિક માહિતી અનુસાર પુરૂષ તળાવમાં નાહવા પડ્યો કે અન્ય કોઈ કારણસર તે બાબતની હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી મૃતકના સગા-વ્હાલાની શોધ ચલાવી છે