Sunday, September 8, 2024
HomeGujaratઆર્ય સમાજ ટંકારા દ્વારા ત્રિદિવસીય દિવ્ય સત્સંગનું આયોજન

આર્ય સમાજ ટંકારા દ્વારા ત્રિદિવસીય દિવ્ય સત્સંગનું આયોજન

આર્ય સમાજ ટંકારા દ્વારા 31 જુલાઈ થી બીજી ઓગસ્ટ સુધી ત્રિદિવસીય દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદ પરિવારજક દિવ્ય જ્ઞાનનો લાભ આપશે. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોને જોડાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, આર્ય સમાજ ટંકારા દ્વારા આગામી તારીખ 31 જુલાઈ થી બીજી ઓગસ્ટ સુધી ત્રિદિવસીય દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વેદોના અને દર્શનોના પ્રકાંડ વિદ્વાન પૂજ્યપાદ સ્વામી વિવેકાનંદ પરિવારજક ભક્તોને તેમના દિવ્ય જ્ઞાનનો લાભ આપવા પધારશે. ત્યારે આ કાર્યક્રમ ૩૧ જુલાઈ સાંજે ૫ થી ૬ વાગ્યે પટેલનગર સોસાયટી ટંકારા ખાતે, ૩૧ જુલાઈ રાત્રે ૮:૩૦થી ૯:૩૦ વાગ્યે ઉપદેશક મહાવિદ્યાલય ટંકારા ખાતે, ૧ ઓગસ્ટ સવારે ૯:૦૦ વાગ્યે જીએમ વિદ્યાલય ધ્રોલ ખાતે, ૧ ઓગસ્ટ સાંજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યે ગાયત્રી નગર સોસાયટી ખાતે, ૧ ઓગસ્ટ રાત્રે ૯:૦૦ થી ૧૦:૦૦ વાગ્યે આર્ય સમાજ ટંકારા ખાતે, ૨ ઓગસ્ટ સવારે ૯:૦૦થી ૧૦:૦૦ વાગ્યે ઓરપેટ વિદ્યાલય ટંકારા ખાતે, ૨ ઓગસ્ટ સાંજે ૫:૦૦થી ૬:૦૦ વાગ્યે ધર્મ ભક્તિ સોસાયટી ટંકારા ખાતે તથા ૨ ઓગસ્ટ રાત્રે ૯:૦૦થી ૧૦:૦૦ વાગ્યે આર્ય સમાજ ટંકારા ખાતે યોજાશે. જેમાં ભાવિ ભક્તોને પરિવાર સાથે મિત્રો સાથે ચોક્કસથી પધારી અને વધુને વધુ સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!