Sunday, June 8, 2025
HomeGujaratવિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસે કર્યું વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસે કર્યું વૃક્ષારોપણ

૫ મી જૂન – વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આર્યતેજ ગ્રુપ ઓફ કૉલેજસ, મોરબી ખાતે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણ સંરક્ષણના મહત્ત્વપૂર્ણ સંદેશ સાથે યોજાયેલ કાર્યક્રમમાં કોલેજના તમામ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ્સ, શિક્ષકગણ, તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને ભાગ લીધો હતો. જે કાર્યક્રમ દરમિયાન કુલ ૩૦ થી ૩૫ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીની આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ મોરબી દ્વારા ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપાલ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાથીઓ ઉપસ્થિત રહયા હતા. જે કાર્યક્રમ દરમિયાન ૩૦ થી ૩૫ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ઓક્સિજન આપતા તેમજ સ્થાનિક વાતાવરણને અનુકૂળ એવા વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમની સફળતા પાછળ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જે પ્રસંગે પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે, “આજનું વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભાવિ પેઢી માટે એક પ્રેરણાદાયક પહેલ છે. દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજીને પર્યાવરણ જળવાઈ રહે તે માટે આગળ આવવું જોઈએ. તેમજ વૃક્ષો માત્ર દરરોજ ઓક્સિજન પૂરા પાડે છે એટલું જ નહીં, પરંતુ પૃથ્વીની ઉષ્મા ઘટાડવામાં, પાણીના સ્તર જાળવવામાં તથા જીવજંતુઓ માટે નેશનલ હેબિટેટ પૂરુ પાડવામાં પણ અગત્યનો ફાળો આપે છે. તેથી, પર્યાવરણ બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે વૃક્ષારોપણ. તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોએ દરેક લોકોને પ્રકૃતિને ઋણ ચુકવવા માટે એક વૃક્ષ જરૂર લગાવવું જોઈએ તેવી અપીલ કરી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!