Monday, June 23, 2025
HomeGujaratવાંકાનેર માટેલ ખાતે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ધામધુમ પૂર્વક અષાઢી બીજની ઉજવણી...

વાંકાનેર માટેલ ખાતે શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ધામધુમ પૂર્વક અષાઢી બીજની ઉજવણી કરાશે

વાંકાનેર તાલુકાના માટેલ ખાતે શ્રી ખોડિયાર માતાજીનાં મંદિર ખાતે અષાઢી બીજની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવશે. તેમજ આગલા દિવસે તા. ૨૬/૦૬/૨૦૨૫ ને ગુરુવારના રોજ માતાજીના મંદિરે ડાક ડમરુ નો રાત્રે ૯:૩૦ વાગ્યે રાખવામાં આવ્યો છે. જેમાં ઉપસ્થિત રહેવા મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના માટેલ ખાતે શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતે અષાઢી બીજની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. જગ પ્રખ્યાત યાત્રાધામ એટલે કે માટેલ ધામે આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિર ખાતે માના સાક્ષાત બેસણા છે. જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે મંગળા આરતી બાદ બાવન ગજની ધ્વજા ચઢાવવામાં આવશે. મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવશે. અષાઢી બીજના આગલા દિવસે એટલે કે તારીખ ૨૬/૦૬/૨૦૨૫ ને ગુરુવારે રાત્રે માતાજીના મંદિરે ડાક ડમરૂનો પ્રોગ્રામ રાત્રે 9:30 વાગે રાખવામાં આવશે. અને બંને દિવસે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત રહેવા મંદિર ટ્રસ્ટ તરફથી તૈયારી શરૂ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!