Tuesday, September 17, 2024
HomeGujaratયંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના આંગણે બહારગામથી આવેલ તલાટી મંત્રીના પરીક્ષાર્થીઓને મળ્યો ઘર...

યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના આંગણે બહારગામથી આવેલ તલાટી મંત્રીના પરીક્ષાર્થીઓને મળ્યો ઘર જેવો માહોલ

જ્યારે રાષ્ટ્પ્રેમને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તલાટી મંત્રીની પરીક્ષાના ઉમેદવારોને મદદરૂપ થવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં બહારગામના 1500 જેટલા ઉમેદવારો તેમના વાલીઓ, સબંધીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી.

- Advertisement -
- Advertisement -

બહારગામથી આ લોકો મોરબી આવે ત્યારે તેમને લઈ આવવાની, રહેવાની પાછા પરીક્ષા સ્થળે હળવદ, ટંકારા, મોરબી શહેરમાં અન્ય વિસ્તારોમાં પરીક્ષા સ્થળે પહોંચાડવાની વાહન વ્યવસ્થા કરી હતી. તેમજ પરત લઈ આવી જમાડવાની પણ વ્યવસ્થા કરી હતી. આ રીતે યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરોએ મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી નગરપાલિકાના સહયોગથી પરિક્ષાર્થીઓને બનતી તમામ મદદ કરી હતી. જેમાં અનેક ઉમેદવારોને એક દિવસ રહેવા તેમજ સ્વાદિષ્ટ જમવાની વ્યવસ્થા કરી હતી. સાથેસાથે ઉમેદવારોને તેમના પરીક્ષા સ્થળે પણ પહોંચાડ્યા હતા તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!