Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં ન્હાવા બાબતે થયેલ તકરાર લોહિયાળ બની : ચાર ઈજાગ્રસ્ત

મોરબીમાં ન્હાવા બાબતે થયેલ તકરાર લોહિયાળ બની : ચાર ઈજાગ્રસ્ત

મોરબીના વીસીપરા અમરેલીરોડ વિશાલદિપ નળીયાના કારખાનામાની ઓરડીમા રહેતા મજૂરો વચ્ચે પહેલા ન્હાવા જવા જેવવી નજીવી બાબતે બબાલ થઈ હતી. જેનો ખાર રાખી 5 ઈસમોએ તલવાર તથા લાકડી વડે ચાર યુવકો પર પ્રાણઘાતક હુમલો કર્યો હતો. અને ચારેયને ગંભીર ઈજાઓ પહોંચાડતા લોહીલુહાણ હાલતમાં ચારેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઈ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી વીસીપરા અમરેલીરોડ વિશાલદિપ નળીયાના કારખાનામાની ઓરડીમા રહેતા કિશનભાઇ રવિભાઇ ચૌહાણ નામના યુવક તથા સાહેદો કારખાનામા મજુરી કામ કરી નાહવા માટે ગયેલા હોય જ્યાં યુસુફભાઇ કરીમભાઇ જેડા (રહે.હાલ સીસ્ટર બંગલો સામે વાડી વિસ્તરા વીસીપરા મોરબી મુળ રહે.નવાગામ તા.મા.મી. જી.મોરબી)એ આવી મારે પહેલા નાહવુ છે તેમ કહી ઝઘડો તકરાર કરી સાહેદ ગૌતમને મોઢા પર પ્લાસ્ટીકની ડોલ મારેલ બાદ ફરિયાદી તથા સાહેદો પોતાની રહેણાંક ઓરડી પાસે જતા જ્યાં યુસુફભાઇ કરીમભાઇ જેડા (રહે.હાલ સીસ્ટર બંગલો સામે વાડી વિસ્તરા વીસીપરા મોરબી મુળ રહે.નવાગામ તા.મા.મી. જી.મોરબી) તથા તેના કુટુંબીજનોમા બે પુરૂષો તથા બે સ્ત્રીઓ અજાણ્યા મળી કુલ પાંચ આરોપીઓએ  હથીયારો સાથ ફરિયાદી તથા સાહેદ પર હુમલો કર્યો હતો અને  યુસુફએ તલવાર વડે ફરિયાદીને ડાબા હાથે કોણી પાસે તથા સાહેદ સંજયને હાથ પર તલવાર વડે ઇજા કરી તથા સાહેદો રવીભાઇ તથા વસંત બેનને લાકડી વડે મુંઢ માર મારી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી હળધુત કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!