Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં રામનવમી નિમિતે એ ટુ ઝેડ પબ્લિસિટી અને મારૂતિ સાઉન્ડ દ્વારા ભજન...

મોરબીમાં રામનવમી નિમિતે એ ટુ ઝેડ પબ્લિસિટી અને મારૂતિ સાઉન્ડ દ્વારા ભજન કાર્યક્રમનુ આયોજન

દેશના અનેક ભાગોમાં આજે રામ નવમીની ધાર્મિક ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં રામ નવમીના તહેવારના દિવસે ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામના જન્મની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીમાં પણ ઓમ શાંતિ ચોકમાં આજે રામનવમી નિમિતે ભજનનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં એ ટુ ઝેડ પબ્લિસિટી અને મારૂતિ સાઉન્ડ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી થઇ રહી છે. જેમાં શોભાયાત્રા સાથે વિવિધ ચોકમાં ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત શનાળા રોડ ઉપર ઓમશાંતિ ચોકમાં બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી એ ટુ ઝેડ પબ્લિસિટી અને મારૂતિ સાઉન્ડ સિસ્ટમ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં નિલેશ ગઢવી, પિયુષ મહારાજ, રમેશભાઇ રાવલદેવ અને શીતલ બારોટ સહિતના કલાકારો ભજની રમઝટ બોલાવશે. આ વેળાએ જુનિયર રમેશ મહેતા એવા મયુરબાપા પણ ઉપસ્થિત રહેશે. જેમાં મોરબીના તમામ રામભક્તોને જોડાવવા સાગરભાઇ જીલરીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!