Tuesday, June 10, 2025
HomeGujaratહળવદ પાટિયા ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશનખાતે વોટર કૂલર અને આરઓ પ્લાન માટે...

હળવદ પાટિયા ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશનખાતે વોટર કૂલર અને આરઓ પ્લાન માટે ભૂમિ પૂજન કરાયું હોવાનું

પાટિયા ગ્રુપ દ્વારા હળવદ રેલવે સ્ટેશન ખાતે સ્વ.હસુમતીબેન મણિલાલભાઈ દવેના સ્મરણાર્થે પીવાના શુધ્ધ પાણી માટે વોટર કૂલર અને આર. ઓ પ્લાન્ટ મૂકવામાં આવશે. જે શુભ અને ભગીરથ કાર્યનું આજરોજ પાટિયા ગ્રુપના સભ્યો અને રેલવે સ્ટેશન માસ્તર સહિતનાઓ દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.. ટૂંક સમયમાં રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે પાટિયા ગ્રુપ હળવદ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં અવી રહી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ રેલ્વે સ્ટેશન ખાતે પીવાના શુદ્ધ ઠંડા પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હતી. જેના કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ નગે પાટિયા ગ્રુપને જાણ થતા ઠંડા પાણીનું કૂલર અને શુધ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ પ્લાન્ટ સ્વ.હસુમતીબેન મણિલાલભાઈ દવે ના સ્મરણાર્થે ઇન્સ્ટોલ કરી આપવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી સચવાઈ રહે તે હેતુથી વોટર કૂલર રૂમ પણ બનાવી આપવામાં આવશે. સાથે રેલવે વિભાગનો પણ આ કાર્યમાં પૂરતો સહયોગ મળી રહેશે. ત્યારે આ શુભ ભગીરથ કાર્યનું આજરોજ પાટિયા ગ્રુપના સભ્યો અને રેલવે સ્ટેશન માસ્તર સહિતનાઓ દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે સ્ટેશન માસ્તર બિરેશકુમાર , સંજય તિવારી શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે , પાટિયા ગ્રુપના ધર્મેશભાઈ શાહ , ડી.સી.દસાડીયા , શનિભાઈ ત્રિવેદી , આશિષભાઈ દવે સહિત ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રી નિલેશભાઈ રાવલ દ્વારા શાસ્ત્રોક્ત વિધી દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે કોન્ટ્રાકટર સચિનભાઇ પ્રજાપતિને કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!