Monday, July 7, 2025
HomeGujaratવાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ભાજપ આગેવાન અને કોંગ્રેસના ચાલુ તાલુકા સદસ્ય આમ આદમી...

વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ભાજપ આગેવાન અને કોંગ્રેસના ચાલુ તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા

વાંકાનેર વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસમાં ભંગાણ સંજાયું છે. ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરીત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હોવાનું આપ આગેવાન દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાનાં વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની આગેવાની હેઠળ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઈ ચૌહાણની સાથે રૂપાવટી ગામના ઉપસરપંચ ભાનુભાઈ સામંતભાઈ મેર, સુરેશભાઈ ગાંગડીયા, પરબતભાઇ હમીરભાઈ મેર, બાબુભાઇ કરમશીભાઈ ગાંગડીયા, વલ્લભભાઈ રામજીભાઈ મેર, ગેલાભાઈ રાજભાઈ બાવળિયા, વિજયભાઈ દેહાભાઈ ડાભી, સન્નાભાઈ બાવળીયા, સવશીભાઈ ઝાલા, લાલજીભાઈ કાળાભાઈ, જેરામભાઈ વજાભાઈ ઝાલા, રસિકભાઈ ગાંગાણી, દેવાભાઈ દેવશીભાઈ ગાંગણી, નરશીભાઈ ગાંગડીયા, અરજનભાઈ ઝાલા (ચાલુ ગ્રામ પંચાયત સદસ્ય), સુખાભાઈ ગાંગાણી અને વકીલ ભૂતપભાઈ લુભાણી તથા રૂપાવટી ગામના લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરીત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હોવાનું જણાવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજુભાઇ કરપડા, કરશનબાપુ ભાદરકા, સાગરભાઈ રબારી, સંજયભાઈ બાપટ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, વાંકાનેર વિધાનસભા પ્રભારી પંકજભાઈ આદ્રોજા,વાંકાનેર તાલુકા પ્રમુખ અલી હજ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!