Sunday, September 8, 2024
HomeGujaratધાંગધ્રા તાલુકાના જેસડા ગામના ગુમ આધેડનો માલણીયાદ નજીક નર્મદા કેનાલમાંથી કોહવાયેલી હાલતમાં...

ધાંગધ્રા તાલુકાના જેસડા ગામના ગુમ આધેડનો માલણીયાદ નજીક નર્મદા કેનાલમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

બે દિવસ પહેલા આધેડ ગુમ થયાની ધ્રાંગધ્રા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના માલણીયાદ ગામે નર્મદા કેનાલ માંથી બે દિવસ પહેલા ગુમ થયેલા ધાંગધ્રા તાલુકાના જેસડા ગામના આધેડ નો મૃતદેહ કોહાવાયેલી હાલતમાં લાશ મળી આવ્યો હતો.જેની હળવદ પોલીસને જાણ થતા પોલીસે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના જેસડા ગામના આધેડ અનિરુદ્ધસિંહ રૂપસિંહ ઝાલા ઉંમર વર્ષ 45 બે દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગયા હતા જેની જાણવાજો ફરિયાદ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં કરી હતી.તે દરમિયાન આજે હળવદ તાલુકાના માલણીયાદ ગામે પસાર થતી નર્મદા કેનાલમાંથી કોહાવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.હળવદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરીવારજનો જાણ કરી મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!