Thursday, March 6, 2025
HomeGujaratમોરબી તાલુકામાં જમીન વિવાદ મામલે વેપારી પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબી તાલુકામાં જમીન વિવાદ મામલે વેપારી પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં કારખાના બાજુમાં આવેલ વેપારીની જમીન ઉપર દબાણ કરનાર કારખાનેદાર અને એક અજાણ્યા ઈસમ દ્વારા વેપારીને ધારીયા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ અત્રેના તાલુકા પોલીસ મથકમાં નોંધવામાં આવતા પોલીસે કારખાનેદાર સહિત બે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ઉપરોક્ત બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રવાપર રોડ જમણા એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૫૦૨ માં રહેતા ધર્મેન્દ્રભાઇ ભગવાનજીભાઇ દેત્રોજા ઉવ.૪૬ વાળાની જમીન આરોપી દિવ્યેશભાઈ કાંતિલાલ સોરીયા રહે.મોરબીવાળાના કારખાનાની પાસે આવેલ હોય અને તે જમીન બાબતે બે વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોય તેમ છતા આરોપી દિવ્યેશભાઈએ ધર્મેન્દ્રભાઈની જમીનમાં દબાણ કરતા હોય જેથી ગઈકાલ તા.૦૫/૦૩ના રોજ ધર્મેન્દ્રભાઈ પોતાની જમીનની સ્થિતી જોવા જતા આરોપીને આ બાબતે સારૂ નહીં લાગતા, આરોપી દિવ્યેશભાઈ તેની સાથે અજાણ્યા આરોપીને લઈને લીલાપર ચોકડી પાસે આવેલ ખોડીયાર બેટરી પાસે ગયા હતા, ત્યારે આરોપી દિવ્યેશભાઈએ ધર્મેન્દ્રભાઈ પાસે જઈને કહેવા લાગેલ કે ‘તમે અમારા કારખાના પાસે કેમ આવેલ હતા’ તેમ કહી ધર્મેન્દ્રભાઈને ધારીયાનો ઉંધો ભાગ હાથના બાવડાના ભાગે મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ તેમજ તેની સાથે આવેલ આરોપી અજાણ્યા ઇસમે ધર્મેન્દ્રભાઈને ગાળો આપી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી, હાલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!