Tuesday, April 15, 2025
HomeGujaratડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. ધોરણ ૧૦ કે વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના આગળના અભ્યાસ માટે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસ અધિક્ષક કચેરી, મોરબી ખાતે “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા વિદ્યાથીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
- Advertisement -

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની સુચના અને પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાના માર્ગદર્શન મુજબ મોરબી જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં વસવાટ કરતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના ધોરણ ૧૦ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના આગળના અભ્યાસ માટે અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી સારી કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ પોલીસ અધિક્ષક કચેરી, મોરબી ખાતે “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” નુ આયોજન કરવામાં આવ્યું હતું. જે સેમિનારમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા હતા. જેઓને તજજ્ઞશ્રી રવિન્દ્ર બોરલે (આચાર્ય, જવાહર નવોદય વિદ્યાલય, મોરબી) દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી આગળ શુ અભ્યાસ કરી શકાય, પોતાના મનપસંદ વિષયમાં કારકિર્દી માટે કયા-કયા અવકાશ છે તે વિષયક તેમજ શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં ઉપલબ્ધ અલગ-અલગ પ્રોફેશનલ કોર્સ વિશે વિગતવાર સચોટ માહિતી આપવામાં આવી હતી.

પી.એ.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, મોરબી વિભાગ દ્વારા હાજર વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે અને કેન્દ્ર અને રાજ્યની જાહેર સેવાઓ માટેની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પ્રવર્તમાન સરકારની યોજનાઓ વિશે વિગતવારની જરૂરી જાણકારી આપવામાં આવી હતી. વી.બી.દલવાડી, નાયબ પોલીસ અધિક્ષક, ઇન્ચાર્જ મુખ્ય મથક મોરબી જિલ્લા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે મુંજવતા પ્રશ્નો વિશે યોગ્ય માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ કારકિર્દી ઘડતર દરમ્યાન નિર્ધારીત સ્થાન/લક્ષ્ય સુધી કઇ રીતે પહોંચી શકાય તે માટે સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાયબર અવેરનેશ તેમજ મોબાઇલના ઉપયોગથી થતા લાભો અને ગેરલાભો બાબતે જરૂરી માહીતી આપી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ કારકિર્દીને લગતા કોઇ પ્રશ્ન હોય તો પોલીસની મદદ માટે હંમેશા તૈયાર હોવાનું જણાવી સેમિનારને પૂર્ણ કરવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા સેમિનારના આયોજન બદલ મોરબી જિલ્લા પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ, વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કારકિર્દી માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!