ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે તુર્કી અને અઝરબૈઝાન દેશે પાકિસ્તાનને સાથ આપતા દેશભરમાંથી બંને દેશની પ્રોડક્ટ નો બોલકોટ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના સીરામીક પ્રોડક્ટની વર્ષે 100 કરોડની નિકાસ થાય છે. જે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા બંધ કરવા માટેની પણ વિચારણા ચાલી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધ વચ્ચે તુર્કી અને અઝરબૈઝાન દેશે પાકિસ્તાન ને સાથ આપતા આપણા દેશમાં બંને દેશોની પ્રોડક્ટનું બોયકોટ કરવામાં આવી રહ્યું છે. તેમજ મોરબીમાં ફરવા ના શોખીન લોકોએ હાલમાં તુર્કી અને અઝરબૈઝાન ની પોતાની ટુર કેન્સલ કરાવી રહ્યા છે. તેમ મોરબી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસીયેશનને જાહેર કર્યું છે. જે વચ્ચે હવે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામિક ઉધોગે પણ તુર્કી અને અઝરબૈઝાન દેશ દ્વારા પાકિસ્તાન નું સમર્થન કરતા વિરોધ વ્યક્ત કરી બંને દેશમાં વર્ષે થઈ રહેલો અંદાજે ૧૦૦ કરોડનો નિકાસ વેપાર જરૂર પડ્યે બંધ કરવામાં આવશે. તેમ મોરબી સિરામિક એસોસીયેશનના પ્રમુખે જણાવ્યું છે. હાલ સિરામિક ઉદ્યોગમાં મંદીના વાદળો ઘેરાયા હોવા છતાં સિરામિક એસોસીયેશન દેશહિતમાં નિર્ણય કરશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.