સમૂહ રાંદલ ઉત્સવનું ભવ્ય આયોજન ચા.મ.મોઢ બ્રાહ્મણ મોરબી યુવક સમિતિ તેમજ મહિલા સમિતિ જ્ઞાતિ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જે ધાર્મિક પ્રસંગમાં આચાર્ય પદે દિલીપભાઈ દવેએ વૈદિક મંત્રો દ્વારા પૂજન અર્ચન કર્યું હતું. જેમાં દર્શન, મહાપ્રસાદ ગરબા, તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ચા.મ.મોઢ બ્રાહ્મણ મોરબી યુવક સમિતિ તેમજ મહિલા સમિતિ જ્ઞાતિ મંડળ દ્વારા આયોજિત સમૂહ રાંદલ ઉત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે ધાર્મિક પ્રસંગે આચાર્ય પદે મોરબીના પ્રખર અને વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજન અર્ચન વિધિ વિધાન કરાવ્યું હતું. જે કાર્યક્રમમાં સૌ જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દર્શન, મહાપ્રસાદ, આનંદનો ગરબો, મહા આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.