Monday, June 23, 2025
HomeGujaratમોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલની માંગણી પર મુખ્યમંત્રીએ મરીનમંજૂરીની મહોર

મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલની માંગણી પર મુખ્યમંત્રીએ મરીનમંજૂરીની મહોર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લા કક્ષાની જેલની મંજૂરી આપવામાં આવી છે. મોરબીથી ત્રણેક કિમી દૂર અમરેલી ગામમાં જેલ માટે ૩૨ એકર જમીનની ફાળવણી જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે. ૧૯૫૪માં ૮૪ કેદી સમાવવાની ક્ષમતાથી શરૂ કરાયેલી સબ જેલની બાદમાં ૧૭૧ સુધીનો ઉત્તરોત્તર વધારો કરાયેલો હતો. આગામી ૫૦ વર્ષના કેદીઓની સંખ્યાને ધ્યાને લઇને નવી જેલ ૫૫૦ કેદીઓની ક્ષમતાની બનાવવામાં આવશે. જેલમાં કેદીઓ માટે મનોરંજન માટેના હોલ, હરવા ફરવાના મેદાનો, તાલીમ સાથે રોજગાર મળી રહે તેવી સગવડોનો સમાવેશ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

સરકારી કચેરીઓ આધુનિક અને સુવિધાયુકત બનાવવા રાજય સરકાર પ્રયત્નીશીલ છે. ત્યારે નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લાકક્ષાની જેલ બનાવવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ આધુનિક જેલ બન્યા બાદ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા અને સુવિધામાં વધારો થશે. ઓવરક્રાઉડની સમસ્યાનું નિરાકરણ થશે. આ અંગે વધુ માહિતી આપતા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મોરબીમાં જિલ્લાકક્ષાની જેલને મંજૂર કરી મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી હવે પછી ૧૭૧ ની સામે ૫૫૦ ની વધુ ક્ષમતા ધરાવતી આધુનિક જેલનું નિર્માણ કરવામાં આવશે. જિલ્લા જેલરની માગણીથી મોરબીથી ત્રણેક કિમી દૂર આવેલ અમરેલી ગામમાં સર્વે નં. ૧૯૯ પૈકી એકની જમીનમાંથી ૫-૨૨-૭૦ હેક્ટર જમીન જેલ બનાવવા માટે વહિવટી તંત્ર દ્વારા તબદીલ કરવામાં આવી હતી. જેથી કેદીઓ સહિત જેલના સ્ટાફને સુવિધાયુકત જેલ મળી રહેશે. નવી જેલની મંજૂરીના મુખ્યમંત્રીના નિર્ણયને આવકારતા જિલ્લા જેલર ડી. એમ. ગોહિલ કહે છે કે, મોરબીની સબ જેલ ૧૯૫૪માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે કેદીઓની સમાવેશ સંખ્યા ૮૪ની હતી. જે બાદમાં વર્ષ ૨૦૧૭માં જરૂરી સુધારા વધારા કરતાં ૧૭૧ (૧૪૩ પુરૂષ કેદી અને ૨૮ મહિલા કેદી) કરાઈ હતી. કેદીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હોઈ આગામી ૫૦ વર્ષને ધ્યાને લઇને નવી જિલ્લા જેલ બનાવવા માટે જિલ્લા જેલ કમિટિએ તંત્રને દરખાસ્ત કરી હતી. જેલમાં કેદીઓના રહેવાની, મનોરંજન માટેના હોલ, હરવા ફરવા માટેની ખુલ્લી જગ્યાનો સમાવેશ થશે. જેમા સરકાર દ્વારા કેદીઓને જેલમાં તાલીમ સાથે રોજગાર મળી રહે તે માટે જેલમાં વિવિધ પ્રકારના ઉધોગો શરૂ કરવાની સગવડોનો સમાવેશ થયો છે. પપ૦ કેદીઓમાં ૫૦૦ પુરૂષ કેદીઓ અને ૫૦ મહિલા કેદીઓનો સમાવેશ કરવાના હેતુથી જમીનની માગણી થઇ હતી. મોરબીમાં જિલ્લા જેલ કમિટીએ નવી જેલની માગણી તંત્રને કરી હતી. મોરબીમાં આ જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી જિલ્લા જેલ કમિટિમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રકટ જજ, જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ, સિનિયર મોસ્ટ લેડી જયુડિશિયલ ઓફિસર, જેલ અધિક્ષક સભ્ય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!