મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મોરબી જીલ્લામાં જીલ્લા શિક્ષણાધિકારીની કાયમી નિમણુંક કરી સ્કુલ સંચાલકો ઉપર અંકુશ લાવવા માટેની માંગ કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કિશોરભાઈ ચોખલિયા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીની કાયમી નિમણુક કરી સ્કૂલ સંચાલકો પર અંકુશ લાવવા માંગ કરવામાં આવી છે. મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણક્ષેત્રે એફ.આર.સી. વિરૂધ્ધ બેફામ ફી વસુલ કરવામાં આવી રહી છે. ત્યારે એક વર્ષથી મોરબી જીલ્લા શિક્ષણાધિકારી પાસે કચ્છ અને મોરબી જીલ્લાનો સંયુક્ત ચાર્જ હોવાથી પ્રાઈવેટ સ્કુલ સંચાલકો ઉપ૨ જીલ્લા શિક્ષણાધિકારીનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. મોરબી જીલ્લામાં સ્કુલ સંચાલકો પોતાની મનસુફી મુજબ સ્કુલો ચલાવી રહ્યા છે. અમુક સ્કુલોમાં રમત-ગમતના મેદાનની વ્યવસ્થા નથી, અમુક સ્કુલોમાં નિયમ વિરૂધ્ધના બાંધકામો છે, અમુક સ્કુલોમાં વિદ્યાર્થીઓની સલામતીના પ્રશ્નો ઉદભવી રહ્યા છે, અમુક સ્કુલો એડમીશનમાં ભેદભાવની નિતિ અપનાવી રહી છે, અમુક સ્કુલો માત્ર નામના મેળવવા હોંશિયાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી રહી છે. જેના કારણે મોરબી જીલ્લો શિક્ષણક્ષેત્રે વેપાર-ધંધાનું માધ્યમ બની ગયું છે. જીલ્લા શિક્ષણાધિકારીનો સ્કલ સંચાલકો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ ન હોવાના કારણે સ્કુલ સંચાલકો બેફામ બન્યાં છે. જેથી મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણુંક કરી બેફામ ફી વસુલી, પ્રવેશ માટે ભેદભાવની નિતિ, નિયમ વિરૂધ્ધના બાંધકામ સહિતના પ્રશ્નોને ધ્યાને લઈ સ્કુલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે..