Sunday, June 15, 2025
HomeGujaratમોરબીમાં ૨૦ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ડબલ...

મોરબીમાં ૨૦ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ડબલ રકમનો દંડ ફટકારતી કોર્ટ

મોરબીના બીજા એડીશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા ચેક રીટર્ન કેશમાં આરોપી બીલેશ્વર સીરામીકના ઓથોરાઈઝડ પર્સન રમણીકભાઈ વશરામભાઈ કાસુન્દ્રાને દંડ સહિત રકમ રૂા. ૪૧,૯૧,૬૨૮/- અને એક વર્ષની કેદની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી તરફે યુવા ધારાશાસ્ત્રી એચ. એમ. ભોરણીયા, હિરલ આર. નાયક તેમજ પ્રદીપ કે. કાટીયા રોકાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના ફરિયાદી મીકુલ જયંતીભાઈ સવસાણીએ આરોપી બીલેશ્વર સીરામીકના ઓથોરાઈઝડ પર્સન રમણીકભાઈ વશરામભાઈ કાસુન્દ્રા વચ્ચે વ્યાપારીક સંબંધ હતો. તેમજ આરોપીને ધંધામાં રૂપિયાની જરૂરીયાત પડતાં ફરીયાદી પાસે વીટ્રીફાઈડ ટાઈલ્સની ખરીદી કરી હતી. જે માલની રકમ પેટે ફરીયાદીને આરોપી પાસે રૂા. ૨૦,૯૫,૮૧૪/- લેણી રકમ બાકી નીકળતી હતી. જે પેટે આરોપીએ ચેક આપી કહ્યું હતું કે આ ચેક બેંકમાં નાખ્યે પૈસા પરત મળી જશે. જે ચેક પોતાની બેંકમાં નાંખતા અપૂરતા નાણાં ભંડોળને કારણે ચેક બાઉન્સ થયો હતો. જેની જાણ આરોપીને કરી હોવા છતાં નાણાં વસુલ નહી મળતા ફરીયાદી મીકુલ જયંતીભાઈ સવસાણીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ મોરબીના બીજા એડીશનલ ચીફ જયડીશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વકીલ હિરલ આર.નાયક, નિશા એલ.વડસોલા, પ્રદીપ કે. કાટીયા મારફત કેશ દાખલ કર્યો હતો.

જે કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ ચેકની બાકી નીકળતી રકમ રૂા. ૨૦,૯૫,૮૧૪/– ની ડબલ રકમ રૂા. ૪૧,૯૧,૬૨૮/- નો દંડ અને દંડમાંથી ફરીયાદીને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચુકવણીની તારીખ સુધીના વાર્ષિક ૯% વ્યાજ સહિત ચુકવી આપવા હુકમ કર્યો છે. તેમજ દંડ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ નામદાર કોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે. જે કેશમાં ફરીયાદી તરફે મોરબીના જાણીતા વકીલ એચ. એમ. ભોરણીયા, હિરલ આર. નાયક તેમજ પ્રદીપ કે. કાટીયા રોકાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!