Tuesday, June 3, 2025
HomeGujaratવાંકાનેર સિવિલ કોર્ટના કેસમાં હાજર ન રહેતા આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો

વાંકાનેર સિવિલ કોર્ટના કેસમાં હાજર ન રહેતા આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો

વાંકાનેર સિવિલ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટનો કેસ દાખલ થયો હતો. જેમાં મહેસાણાના આરોપી વિરુદ્ધ કોર્ટમાં હાજર થવા સમન્સની બજવણી કરી હોવા છતાં આરોપી કોર્ટમાં મુદતે હાજર ન રહેતા કોર્ટે આકરું વલણ અપનાવી આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેરના નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કેસમાં આરોપી ગુજરાત સિડ્સ એન્ડ ફર્ટિલાઈઝરના નરેશકુમાર ધુલાબભાઈ પટેલ વિરુદ્ધ વાંકાનેર સિવિલ કોર્ટમાં ૨૦૧૯ ના વર્ષ ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ બાબતે મુદતે હાજર રહેવા સમન્સની બજવણી કરવામાં આવી હોવા છતાં આરોપી મુદતે હાજર નહિ રહેતા સિવિલ કોર્ટના ક્લાર્ક જયદેવસિંહ બચુભા ઝાલાએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આમ, આરોપી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટનો કેસમાં હાજર ન રહેતા કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!