Friday, October 25, 2024
HomeGujaratમાળીયા(મી)ના નીરૂબેનનગર ગામ નજીક અજાણ્યા ટ્રકની હડફેટે ચાલીને જતા શ્રમિકનું મૃત્યુ 

માળીયા(મી)ના નીરૂબેનનગર ગામ નજીક અજાણ્યા ટ્રકની હડફેટે ચાલીને જતા શ્રમિકનું મૃત્યુ 

માળીયા(મી)ના નીરૂબેનનગર નજીક રોડની સાઈડમાં ચાલીને જતા શ્રમિક યુવકને પાછળથી ટ્રકે હડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા શ્રમિક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે મૃતક યુવકની પત્નીએ માળીયા(મી) પોલીસ સમક્ષ અજાણ્યા ટ્રક ચાલક આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

હિટ એન્ડ રન અકસ્માતના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુજના પીપળીયા ગામે રહેતા પૂજાબેન વસંતભાઈ કાનાભાઈ દેલવાણીયાએ માળીયા(મી) પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૨૩/૧૦ ના રોજ તેમના પતિ વસંતભાઈ પગપાળા ચાલીને રોડની સાઈડમાં ચાલીને જતા હોય ત્યારે નીરૂબેનનગર ગામના પાટીયા પાસે પાછળથી પુર ગતિએ ચલાવીને આવતા ટ્રક ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી વસંતભાઈને પાછળથી જોરદાર ટક્કર મારતા વસંતભાઈને છાતીના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માતના આ બનાવમાં ટ્રક ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નદી ગયો હતો, હાલ માળીયા(મી) પોલીસે આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!