Tuesday, October 8, 2024
HomeGujaratમોરબીમાં પ્રૌઢનું હાર્ટ એટેકને કારણે મોત:ચાર દીકરીઓ કાંધ આપી દીકરા તરીકેની ફરજ...

મોરબીમાં પ્રૌઢનું હાર્ટ એટેકને કારણે મોત:ચાર દીકરીઓ કાંધ આપી દીકરા તરીકેની ફરજ નિભાવી

હાલમાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે મોરબીમાં પણ એક મજુરનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે.હાર્ટ એટેકના લીધે પ્રૌઢનું મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીના ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા અને મજૂરી કરી ગુજરાન ચલાવતા રમણીકભાઈ કરશનભાઈ ચાવડા નામના પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ગત મોડી રાત્રીના તેઓને અચાનક ગભરામણ અને ઉલ્ટી થયા બાદ છાતીમાં દુખાવો શરૂ થયો હતો. જેથી તેઓને નજીકના ક્લિનિકમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હોસ્પિટલ પહોંચી સારવાર મળે એ પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. રમણીકભાઈને દીકરો ન હોવાથી ચાર દીકરીઓએ કાંધ આપી દીકરા તરીકેની ફરજ નિભાવી પિતાને અંતિમ વિદાય આપી હતી.અને સમાજને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!