25મી જૂન 1975 ના રોજ સમગ્ર ભારત સ્તબ્ધ થઈ ગયું હતું કારણ કે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી દીધી હતી. ભાજપ દર વર્ષે આ દિવસ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષે ભાજપે આજના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવાઈ હતી.
મોરબીની પી.જી.પટેલ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો સાથે સંવિધાન હત્યા દિવસ અંતર્ગત ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.25/6/1975 ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા સંવિધાન અંતર્ગત બંધારણીય હકો બરખાસ્ત કરતી રાજકીય કટોકટી લાદવામાં આવી હતી. આ કટોકટી અંતર્ગત દેશમાં સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ દામાદોડ થઈ ગયું હતું. જેની દુઃખદ સ્મૃતિમાં તારીખ 25 જૂન 1975 થી આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળીને આ રાજકીય કટોકટી વિશે સચોટ માહિતી મેળવી હતી. આ આયોજનમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા દ્વારા પણ વિદ્યાર્થીઓને આ બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા