Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેરમાં ભત્રીજી વિષે વાત કરતા ઈસમોને ઠપકો આપતા ઉશ્કેરાયેલ ઈસમોએ આધેડને માર...

વાંકાનેરમાં ભત્રીજી વિષે વાત કરતા ઈસમોને ઠપકો આપતા ઉશ્કેરાયેલ ઈસમોએ આધેડને માર માર્યો

વાંકાનેરમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેવામાં ગઈકાલે ભત્રીજી વિષે વાત અમુક ઈસમોને ટોકતા ઈસમો ઇશ્કેરાઇ ગયા હતા અને આધેડને ઇંટોના ધા મારી ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ-૩૨૩,૩૩૭,૫૦૪,૫૦૬ તથા જી.પીએકટ કલમ -૧૩૫ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં આરોગ્યનગર જ્ઞાન ગંગાવાળી શેરીમાં રહેતા સંજયભાઇ જીવણભાઇ વીરાણીનાં ભાઇની દીકરીની વાતો જીગ્નેભાઇ ભયલાલભાઇ પતરીયા નામનો આરોપી કરતો હોય તે બાબતે ફરિયાદી સંજયભાઇએ ઠપકો આપવા જતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને ગાળોબોલી ઝપા-ઝપી કરી ફરિયાદીને માથાના ભાગે ઇટનો ધા કરી અને વાસામા તથા જમણા હાથે ઇંટોના ધા કરી મુઢ માર મારી, મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!