મોરબીની માધાપરવાડી શાળામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૯૦ નેવું બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મોરબીની માધાપરવાડી શાળાના વર્ષ દરમ્યાન ૧૦૦ હાજરી ધરાવનાર તેમજ વાર્ષિક પરિક્ષા જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ અને NMMS વગેરે પરીક્ષામાં ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ૧૦૫ વિદ્યાર્થીનીઓ માટે ચાલતા ટ્રાન્સપોર્ટેશન વાહન સુવિધાને લીલી ઝંડી આપવામાં આવી હતી.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ એટલે બાળકો માટેનો કાર્યક્રમ વર્ષ ૨૦૦૨/૦૩ થી શરૂ થયો છે. જે પચીસમાં વર્ષે પ્રવેશોત્સવ યોજાયો હતો. ત્યારે ચાલુ વર્ષે માધાપરવાડી શાળા કુમાર અને કન્યા શાળામાં પ્રવોશોત્સવનું મનમોહક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦ નેવું બાળકોએ બાલવાટીકામાં પ્રવેશ મેળવ્યો હતો. બધા જ બાળકોને ડીજેપી કન્યા વિદ્યાલયના નિવૃત્ત શિક્ષિકા નિતાબહેન પટેલ તરફથી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.ત્રણ કિલોમીટર દૂરથી આવતી ૧૦૫ વિદ્યાર્થીનીઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બાળકોને ઘરેથી શાળા સુધી લાવવા લઈ જવા માટેના ટ્રાન્સપોર્ટ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આર્થિક યોગદાન આપનાર દાતાઓને સાલ ઓઢાડી બહુમાન કરાયું તેમજ ધો.૩ થી ૮ માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર અને વર્ષ દરમ્યાન શાળામાં ૧૦૦ % હાજર રહેનાર, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, જવાહર નવોદય વિદ્યાલય તેમજ NMMS પરીક્ષામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને શૈક્ષણિક કીટ અને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ખુબજ આગવી શૈલીમાં અમૃત વચન રજૂ કરનાર હેન્સી દિલીપભાઈ પરમારને મહાનુભાવોએ સન્માન કર્યું હતું. જે પ્રસંગને દિપાવવા સ્વપ્નિલ ખરે મ્યુનિસિપલ કમિશ્નર મોરબી મહા નગરપાલિકા, કાંતિભાઈ અમૃતિય ધારાસભ્ય મોરબી, પ્રવીણભાઈ સોનગ્રા ચેરમેન કારોબારી જિલ્લા પંચાયત મોરબી, જે.જે.રાચ્છ કાર્યપાલક એન્જીનીયર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા આચાર્યો તેમજ તમામ શિક્ષક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.