Friday, September 20, 2024
HomeGujaratમોરબીની એલ.ઈ.પોલીટેકનિક કોલેજ ખાતે "ઉદ્યમીતા પ્રોત્સાહન સંમેલન" યોજાયુ

મોરબીની એલ.ઈ.પોલીટેકનિક કોલેજ ખાતે “ઉદ્યમીતા પ્રોત્સાહન સંમેલન” યોજાયુ

મોરબીની એલ.ઈ.પોલીટેકનિક કોલેજ ખાતે સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત “ઉદ્યમીતા પ્રોત્સાહન સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કંઈક નવીન, કંઈક અનોખું આપવાના હેતુ સાથે “ઉદ્યમીતા પ્રોત્સાહન સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતુ.

- Advertisement -
- Advertisement -

સ્વાવલંબી ભારત અભિયાનએ વિદ્યાર્થી અને યુવાનોને ઉદ્યમિતા સ્વરોજગાર પ્રત્યે જાગૃત કરવાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આ અભિયાન અંતર્ગત મોરબીની એલ.ઈ.પોલીટેકનિક કોલેજ ખાતે “ઉદ્યમીતા પ્રોત્સાહન સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં મુખ્ય વકતા તરીકે ગુજરાત પ્રદેશ સંગઠક સ્વદેશી જાગરણ મંચના મનોહરલાલજી અગ્રવાલનુ માર્ગદર્શન મળ્યુ હતું. તેઓએ વિદ્યાર્થીઓને સ્વરોજગાર ઉદ્યમિતા માટેની માહિતી આપી હતી અને વિવિધ સરકારી યોજના અને વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરીત કર્યા હતા.

આ કાર્યક્રમમા એલ.ઈ. કૉલેજના પ્રિન્સીપાલ રાયજાદા, જિલ્લા સંયોજક સ્વદેશી જાગરણ મંચના અરવિંદભાઈ જેતપરીયા, જિલ્લા સહ સંયોજક સ્વદેશી જાગરણ મંચનાં શિવાંગભાઈ નાનક, મનોજભાઈ પોપટ, નગર મંત્રી ABVP મોરબીના મુગ્ધરાજસિંહ ઝાલા અને સ્વદેશી જાગરણ મંચ, ABVP ના કાર્યકર્તાઑ અને એલ.ઈ. કોલેજ ના પ્રોફેસરો પણ ઉપસ્થિત રહયા હતા. અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!