Friday, September 20, 2024
HomeGujaratવાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૪ માર્ચથી ૧૫ માર્ચ સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં ૪ માર્ચથી ૧૫ માર્ચ સુધી પ્રવેશબંધી

સેનાપતિની કચેરી, રા.અ.પો.દળ.જુથ-૧૩, ઘંટેશ્વર(રાજકોટ)ની ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, ‘એફ’, હેડ ક્વાર્ટર તથા ‘એમ.ટી’ કંપનીના અધિકારી/જવાનોની વર્ષ-૨૦૨૪ના પ્રથમ તબક્કાની અલગ અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૦૪-૦૩-૨૦૨૪ થી તા.૧૫-૦૩-૨૦૨૪ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૪-૦૩-૨૦૨૪ થી તા.૧૫-૦૩-૨૦૨૪ સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!