Tuesday, October 8, 2024
HomeGujaratહળવદમાં યુવકની હત્યા મામલે ખુલાસો:મૃતકનો આરોપીની પત્ની સાથેનો પ્રેમસંબંધ બન્યો મોતનું કારણ

હળવદમાં યુવકની હત્યા મામલે ખુલાસો:મૃતકનો આરોપીની પત્ની સાથેનો પ્રેમસંબંધ બન્યો મોતનું કારણ

હળવદ ટાઉનમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય યુવકની ઘરના ફળીયામાં જ રાત્રીના સૂતો હોય ત્યારે માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, ત્યારે હત્યા મામલે પોલીસ તપાસમાં પડોશમાં રહેતી પરિણીતા સાથેના પ્રેમસંબંધનો ખાર રાખી પતિ દ્વારા યુવકની હત્યા નિપજાવ્યાનું સામે આવ્યું હતું, હાલ મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરવા સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ટાઉનમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા કાળુભાઇ ધીરૂભાઈ ઝીંઝુવાડિયાએ હળવદ પોલીસ મથકમાં આરોપી ભરતભાઇ બાબુભાઇ દેવીપૂજક રહે. હાલ હળવદ પંચમુખી ઢોરા વિસ્તાર મૂળરહે.મૂળી તાલુકાના લીયા ગામવાળા સામે ફરિયાદ નોંધાવી કે ફરિયાદીનો પુત્ર સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝીંઝુવાડીયા ઉવ.૩૩ ગત તા. ૦૭/૧૦ના રાત્રીના તેના ઘરના ફળીયામાં સૂતો હોય તે દરમિયાન પત્ની સાથેના પ્રેમસંબંધનો ખાર રાખી આરોપી ભરતભાઈએ કોઈ બોથડ પદાર્થ વડે સુખદેવભાઈના માથામાં જીવલેણ ઘા મારી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે હત્યાના આ બનાવ અંગે હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!